
અસ્ત જાતા રવિ પૂછતા અવનિને:
‘સારશો કોણ કર્તવ્ય મારા?
’સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું:
‘મામૂલી જેટલી મારી ત્રેવડ,
પ્રભુ !એટલું સોંપજો, તો કરીશ હું’
- ઝવેરચંદ મેઘાણી -

No comments:
Post a Comment