Monday, July 6, 2009

કોડિયું




અસ્ત જાતા રવિ પૂછતા અવનિને:

‘સારશો કોણ કર્તવ્ય મારા?

’સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,

મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.


તે સમે કોડિયું એક માટી તણું

ભીડને કોક ખૂણેથી બોલ્યું:

‘મામૂલી જેટલી મારી ત્રેવડ,

પ્રભુ !એટલું સોંપજો, તો કરીશ હું’


- ઝવેરચંદ મેઘાણી -

No comments:

Post a Comment